Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વીણાબેન ગણાત્રાને ઉપલેટા-તાલુકા પત્રકાર સંઘ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ

ઉપલેટા તા. ૩ : ઉપલેટા શહેર-તાલુકા પત્રકાર સંઘ દ્વારા ‘‘અકિલા''ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍નિ સ્‍વ. વીણાબેન ગણાત્રાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્‍ણકાન્‍તભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ ભરતભાઇ રાણપરિયા, મંત્રી જગદીશભાઇ રાઠોડ તેમજ પત્રકાર સંઘના સભ્‍યો દ્વારા અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનનાં દુઃખદ અવસાન પ્રસંગે દુઃખની લાગણી વ્‍યકત કરી ગણાત્રા પરિવાર પર આવી પડેલ સ્‍થિતિને પ્રભુ સહન કરવાની શકિત અર્પે અને સ્‍વ. વીણાબેનના દિવ્‍ય આત્‍માને ઇશ્વર તેના ચરણોમાં સ્‍થાન આપે અને સ્‍વ. વીણાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ છે.

(11:33 am IST)