Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભાવનગરના રાજપરામાં રાજવી પરિવાર દ્વારા પૂ.ઇન્દ્રભારતીબાપુની ઉપસ્થિતીમાં ખોડીયાર જયંતિની ઉજવણી

જૂનાગઢ : ભાવનગરના રાજપરામાં ખોડિયાર મદિર ખાતે રાજવી પરિવાર યુવરાજસિંહ દ્વારા ખોડિયાર જયંતિની શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુની ઉપસ્થિતીમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂ.ઇન્દ્રભારતી બાપુ અને રાજ પરિવાર દ્વારા ખોડીયારમાંનું પુજન, અર્ચન કરાયું હતું. તેમજ આ પ્રસંગે લોકડાયરો યોજાયો હતો. જેમા લોકસાહિત્યકાર માયાભાઇ આહિર, લોકગાયક મયુર દવે, અલ્પા પટેલ સહિતના કલાકારોએ સંતવાણીનો કાર્યક્રમ રજુ કરેલ. અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(11:59 am IST)