Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોરબીના અમરનગરના વળદ્ધ દ્વારા આત્‍મવિલોપનની ચીમકી

રવાપર નદી ગામે આવેલી જમીન અન્‍યોએ પચાવી પાડતા અરજી કરી

મોરબી તા. ૩ :  અમરનગર ગામે રહેતા વળઘ્‍ધની રવાપર નદી ગામે આવેલી વડીલો પાર્જીત ખેતીની જમીન કૌભાંડ કરીને હડપ કરી નાખવામાં આવતા વળધ્‍ધ દ્વારા આગામી તા.૬ ફેબ્રુઆરીના રોજ સહપરિવાર આત્‍મ વિલોપન કરી લેવા રાજ્‍યપાલ સમક્ષ અરજી કરતા ચકચાર જાગી છે.

ખેલશંકરભાઈ લીલાધરભાઇ મહેતા નામના વળદ્ધે રાજ્‍યપાલને લેખિત ફરિયાદ કરતા જણાવ્‍યું છે કે, રવાપર નદી ગામે આવેલી તેમની વડીલો પાર્જીત જમીન ઉપર અન્‍ય લોકોએ કબ્‍જો કરી લઈ તેમને તથા તેમના પુત્રને માથાભારે તત્‍વો પરેશાન કરતા હોય  પરિવાર સાથે આત્‍મ વિલોપન કરશે. રાજ્‍યપાલ સમક્ષ અરજી થતા હાલમાં મોરબી તાલુકા પોલીસે વળઘ્‍ધનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:55 pm IST)