Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પોરબંદરના આર્ય સમાજમાં ૨૧ કુંડી ગાયત્રી અનુષ્‍ઠાન યજ્ઞ : વિનામુલ્‍યે નામ નોંધણી

પોરબંદર,તા.૩ : મહર્ષિ સ્‍વામી દયાનંદ સરસ્‍વતીજીની ૨૦૦મી જન્‍મજયંતિ વર્ષના ઉપલક્ષમાં ૧૯૯મી જન્‍મ તિથિ પ્રસંગે ૨૧ કુંડી અનુષ્‍ઠાન યજ્ઞનું આયોજન તા.૧૫મીએ સાંજે ૫:૩૦ થી ૮ સુધી આર્યસમાજ ખાતે કરેલ છે. ૨૧ કુંડી ગાયત્રી અનુષ્‍ઠાન યજ્ઞમાં મહર્ષિ સ્‍વામી દયાનંદ સરસ્‍વતીજીની જન્‍મજયંતિ પ્રસંગે ડો.એ.આર. ભરડા (ડાયરેકટર ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ.  કોલેજ, પોરબંદર) થી પધારી મહર્ષિ સ્‍વામી દયાનંદ સરસ્‍વતીજીના જીવન પ્રસંગોની વિસ્‍તૃત જાણકારી આપશે. સર્વે ધર્મપ્રેમી ભાઇ-બહેનોએ આ કાર્યક્રમનો અવશ્‍ય લાભ લેવા તેમજ આ ૨૧ કુંડી ગાયત્રી અનુષ્‍ઠાન યજ્ઞમાં સહપરિવાર સાથે બેસવું હોય તેઓએ તા.૧૦ સુધીમાં આર્યસમાજ ખાતે વિનામુલ્‍યે નામ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.

(1:07 pm IST)