Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભાવનગર જિલ્લાના શ્રી માલણકા ખોડિયાર મા ના મંદિરે પૂનમનો પાટોત્સવ ઉજવાશે

હોમાત્મક નવચંડી યજ્ઞનો પ્રારંભ રોનકભાઈ ઓઝાના આચાર્યપદે સવારે ૦૭:૩૦ કલાકે થશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગર જીલ્લાના માલણકા ગામ ખાતે આવેલ દવે , પટેલ , ભાયાણી , ભટ્ટ ( સિહોર ) તથા શાહ ( જસપરા ) પરિવારના કુળદેવી શ્રી માલણકા ખોડિયાર માના મંદિરે મહા- સુદ પુનમનો પાટોત્સવ તા. ૫-૨ને રવિવારે થશે . મહા- મહીનાની નવરાત્રિ માતાજીના મંદિરે ઘામધૂમથી ઉજવવામાં આવે છે . મહા - મહીનાની નવરાત્રિ દરમ્યાન દરરોજ ચંડીપાઢ માતાજીને પારે કરવામા આવે છે અને પુનમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે .

 આ ઉત્સવમાં ગુજરાતભર માંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભકતો દર્શનાર્થે આવે છે . પ્રણાલિકા પ્રમાણે હોમાત્મક નવચંડી યજ્ઞનો પ્રારંભ રોનકભાઈ ઓઝાના આચાર્યપદે સવારે ૦૭:૩૦ કલાકે થશે . શ્રીફળ હોમવાનો સમય બપોરના ૧૨ કલાકનો છે ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે . આ પ્રસંગે સૌ સેવકોને દર્શનનો લાભ લેવા સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી અનુરોઘ કરાયો છે .

(8:38 pm IST)