Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ધોરાજીના વિજયાબેન પોશીયાનું ચક્ષુદાન

  ધોરાજી : હિરપરાવાડી વિસ્‍તારમાં રહેતા ભૌતિકભાઈ પોશીયાના માતુશ્રી વિદ્યાબેનનું અવસાન થતા તેમની પુત્રી ભાવિતા ચોવટીયાએ (રહે અમેરિકાના ફ્‌લોરિડા) માનવસેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીનો સંપર્ક કરતા સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમ દ્વારા વિજયાબેનના ઘેર ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી. આ તકે ભાવિતાબેન ચોવટીયાએ માનવસેવા યુવક મંડળની સેવાઓને બિરદાવી હતી અને સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડોક્‍ટર જયેશ વેસેટીયન અને ભોલુભાઈ સોલંકી દ્વારા ભાવિતાબેનને સન્‍માન પત્ર આપેલ હતું. આ તકે ધરમભાઈ પોશિયા,  કિરણભાઈ હિરપરા, પૂર્વબેન હિરપરા, શ્રદ્ધાબેન ચોલરીયા, પુનમબેન પોશિયા, આશીતાબેન પોશિયા, કર્તવ્‍ય હિરપરા, અતુલભાઇ કોટડીયા, પ્રવીણભાઈ હિરપરા, રમેશભાઈ રામોલિયા, વિઠ્ઠલભાઈ અશોકભાઈ બાબરીયા સહિતના હાજર રહેલ અને માનવસેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા પરિવારની સેવાઓને બિરદાવી સ્‍વને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા. આ સાથે માનવસેવક મંડળને ૧૧૩ મુ ચક્ષુદાન મળ્‍યું હતું.

(12:07 pm IST)