Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

બાલંભામાં ગુરૂવારે હોથીપીરદાદાની જગ્‍યાએ ભવ્‍ય સંતવાણી

વાંકાનેર, તા.૩: જોડિયા તાલુકાના બાલંભા ખાતે પરમ કળપાળુ હોથીપીરદાદાની જગ્‍યામા આગામી તા.૯/૩/૨૩ને ગુરૂવારના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ભવ્‍ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે જેમાં ભજન સમ્રાટ અલખના આરાધક શ્રી રામદાસજી ગોંડલીયાના ભજનનો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે તૅમજ લોકસાહિત્‍યકાર શ્રી ભરતદાન આહીર તથા સાથીદારો અનેરા સંગીતની શેલી સાથે ભજનોની રંગત જમાવશે ભજનની સાથે ‘ભોજન'  પણ રાખેલ છે સર્વે ભાવિક ભક્‍તજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે સ્‍થળઃ હોથીપીરદાદાની જગ્‍યા, માધાપર રોડ, બાલંભા ખાતે રાખવામાં આવેલ છે.

(12:21 pm IST)