Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરના નવા જલારામ મંદિરે રવિવારે હોળી રસિયા કાર્યક્રમ

પૂ.૧૦૮ વસંતકુમારજી ઉપસ્‍થિત રહેશેઃ સત્‍સંગ મનોરથ

પોરબંદર તા.૩ :  એવરગ્રીન હોટલ પાસે નવા જલારામ મંદિરે રવિવારે તા.પમીએ સાંજે પ વાગ્‍યાથી હોળી રસિયા કાર્યક્રમનું આયોજન કરેલ છે.

નવા જલારામ મંદિર એવરગ્રીન હોટલ પાસે પૃષ્‍ટિ સંપ્રદાયના પ્રિય હોરી રશીયાનો કાર્યક્રમ રવિવાર તા.પના રોજ સાંજના પ વાગ્‍યાથી રાખેલ છે. આ અવસર પ.પુ. ગો.શ્રી ૧૦૮ વસંતકુમારજી મહારાજ ઉપસ્‍થિત રહેશે. આ આયોજનનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા જણાવાયું છે. આ પ્રસંગે શ્રી નાથજી સત્‍સંગ મંડળની ટીમ સંગીત સભર ધોળપદ અને કિર્તનની સેવા સાથે સત્‍સંગ મનોરથ રાખેલ છે તેમ લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરની યાદીમાં જણાવાયુ છે.

(12:48 pm IST)