Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

હોળીના પવિત્ર પર્વ પર મોરબીથી માટેલ ધામ પદયાત્રાનું આયોજન

  મોરબી તા ૩ : વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ વર્ષોથી ભક્‍તિ અને આસ્‍થાનું કેન્‍દ્ર રહેલું છે. ત્‍યારે સોમવારે હોળીના પવિત્ર પર્વ પર  રાત્રે ૯-૩૦ કલાકે મોરબીથી માટેલ ધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

  નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ પદયાત્રામાં દરબારગઢ ચોક, આઈ શ્રી ખોડીયાર મંદિર ખાતેથી  પ્રસ્‍થાન કરશે. આ પદયાત્રા મોરબીથી નીકળી માટેલધામ સુધી જશે. આ પદયાત્રામાં માઈભક્‍તોને જોડાવવા નિમંત્રણ પાઠવ્‍યું છે.

(1:08 pm IST)