Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કેશોદમાં આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૩: બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખોટો સ્‍ટ્રેસનો અનુભવ કરતા હોય છે અને આત્‍મહત્‍યા જેવા પણ બનાવ બનતા હોય છે. જે અન્‍વયે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા આવનારી બોર્ડની પરીક્ષામાં સર્વે સમાજના  વિદ્યાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન મળે તે માટે વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ આખરી દિવસોમાં તૈયારી કેવી રીતે કરવી? પુરવણી કેવી રીતે લખવી, માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ વગેરે બાબતોની સરળ ભાષામાં વક્‍તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ વેબીનારમાં મુખ્‍ય વક્‍તા અશોકભાઈ ગુજ્જર (પ્રખ્‍યાત મોટીવેટર) વિરુભાઇ કંડોરિયા (કેળવણીકાર), વિપુલભાઈ બલદાણીયા (ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષક) હતા અને સંવાદ વકતા તરીકે મથુરભાઈ બલદાણીયા સહ એડમીન asvk ગ્રુપ ગુજરાત જોડાયા હતા આ વેબીનારનો ઘણાં લોકોએ લાભ લીધો હતો.

(1:10 pm IST)