Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કેશોદમાં નિવળત્ત કર્મચારી મંડળ દ્વારા ૭૫ વર્ષ ઉપરના વરિષ્ઠ નિવળત્ત કર્મચારીઓનું સન્‍માન

કેશોદ તા. ૩ : નિવળત્ત કર્મચારી મંડળ અને પેન્‍શરોનાં મંડળ દ્વારા નિવળત્ત કર્મચારી અને પેન્‍શરોના હક્કો માટે અવારનવાર સરકારને રજૂઆતો કરવામાં આવે છે તેમજ પેન્‍શરોને પડતી મુશ્‍કેલીઓ નિવારણ માટે આ મંડળ દ્વારા અનેકવિધ પ્રવળત્તિ કરવામાં આવે છે હયાતીના દાખલા માટે  આ મંડળ દ્વારા ટ્રેઝરી ઓફિસમાંથી ફોર્મ્‍સ કલેક્‍ટ કરીને દરેક કર્મચારીને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે તેઓ દ્વારા જ ફોર્મ ભરાવી અને ખરાઈનો દાખલો કરાવી આપવામાં આવે છે.

  પેન્‍શનર મંડળની  એરપોર્ટ રોડ ઉપર આવેલી  માનસ વાડીમાં મળેલ વાર્ષિક સાધારણ સભામાં ૭૫ વર્ષથી ઉપરના નિવળત્ત કર્મચારીઓનું સન્‍માન કરવાનો કાર્યક્રમ મંડળના પ્રમુખ કે.કે. મેસવાણિયાના માર્ગદર્શન નીચે રાખવામાં આવેલો હતો.  પેન્‍શરોને મળતા અન્‍ય લાભો વિશે વક્‍તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ. સાત વરિષ્ઠ વ્‍યક્‍તિઓનું સાલ ઓઢાડી મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ શિક્ષણાધિકારી નરેશભાઈ દાવડાએ કર્યુ હતું.

(1:49 pm IST)