Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જેતપુરની બોસમીયા કોલેજમાં હાર્ટએટેક આવતા પ્રોફેસરનું મોત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩ : શહેરના જુનાગઢ રોડ પર આવેલ બોસમીયા કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર પ્રકાશભાઇ હીતેનદ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.પ૦)નું આજ રોજ ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. બોસમીયા કોલેજમાં બીબીએ ફેકલ્‍ટીમાં ફરજ બજાવતા પ્રકાશભાઇ ત્રિવેદીઆજે સવારે તેના નિત્‍યક્રમ મુજબ પ્રકાશભાઇ ત્રિવેદી આજે સવારે તેના નિત્‍યક્રમ મુજબ કોલેજ આવી કલાસમા જતા હતા. ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા પ્રીન્‍સીપાલ ચોચાએ તુરંત ૧૦૮ બોલાવી સારવાર માટે હોસ્‍પીટલે ખસેડેલ. સારવાર મળે તે દરમિયાન મોત નીપજતા પી.એમ. માટે સરકારી હોસ્‍પીટલ ખાતે ખસેડેલ.

પ્રકાશભાઇ બોસમીયા કોલેજમાં છેલ્લા ૧પમ વર્ષથી ફરજ બજાવે છે. શાંત અને મળતાવડા સ્‍વભાવના કારણે આખા સ્‍ટાફમાં શોકની લાગણી  વ્‍યાપીગઇ છે. તેમને સંતાનમાં એક પુત્ર  છે જે હાલ એસએસસીમાં અભ્‍યાસ કરે છે. હાલ દેશાઇવાડી વિસ્‍તારમાં રહે છે. તેના મૃત દેહને તેના વતન લઇ જવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

(1:58 pm IST)