Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

બાબરા સ્મશાનમાં ર યુવકોને મારવાની ઘટના પલંગની ચોરી કે યુવતિને ભગાડી જવાનું પ્રકરણ?

આઠ શખ્સો સામે ગુન્હો નોંધ્યા બાદ પૂછપરછ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૩ :.. બાબરાના સ્મશનમાં ર યુવકને ઢોર માર મારવાની ઘટનાઓ પલંગની ચોરી કે યુવતિને ભગાડી જવાનું પ્રકરણ જવાબદાર છે ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જે બન્ને યુવકોને માર મારવામાં આવ્યો છે તેમાંથી એક યુવકની પલંગની ચોરીમાં સંડોવણી હોવાનું ખુલ્યુ છે.

તો બીજા યુવકે થોડા સમય પહેલા એક યુવતિને પ્રેમ પ્રકરણમાં ભગાડી હોવાનું પણ ખુલતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે અને ૮ શખ્સોની પુછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાબરામાં વેલનાથ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ઇશ્વરદાસ દૂધરેજીયા (ઉ.રપ) નામના યુવાન તથા તેની સોસાયટીમાં રહેતા કાનભાઇ પરબતભાઇ પરમાર પર અહીના સાગર ભુપતભાઇ ચૌહાણ, વારીસ અલીભાઇ બ્લોચ, વિમલ બટૂક દેત્રોજા, હિતેશ બચુ દેત્રોજા, ધીરૂ તલસાણીયા, કાદુ તલસાણીયા સહિત આઠ શખ્સોએ આ ખુની હૂમલો કર્યો હતો. એક સપ્તાહ પહેલા ઘનશ્યામ દૂધરેજીયા ધુડીયા પ્લોટ વિસ્તારમાં સ્મશાન પાસે સાધુ સમાજના સમાધી સ્થળે જતા આ શખ્સો તેને બળજબરીથી બાજુના સ્મશાનમાં એક ઓરડીમાં લઇ ગયા હતાં. અને તે અહીથી પલંગની ચોરી કરી છે તેમ કહી પાઇપ વડે બેફામ માર માર્યો હતો.

આ જંગલી કૃત્ય કરતી વખતે આ શખ્સોએ વિડીયો પણ ઉતાર્યો હતો અને બાદમાં વાઇરલ કર્યો હતો. જે તે સમયે આ યુવાને પોલીસ ફરીયાદ કરી ન હતી પરંતુ સારવાર માટે બાબરા ત્યાંથી અમરેલી અને બાદમાં ભાવનગર હોસ્પિટલે દાખલ થયો હતો. અહીં સારવાર બાદ આજે બાબરા પોલીસ મથકે દોડી જઇ ફરીયાદ નોંધાવી હતી.

(12:59 pm IST)