Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ધોરાજી સફુરા નદીનાં ચેકડેમમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

માનવ સેવાનાં ધર્મેન્દ્ર બાબરીયાએ એક કલાકે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢયો

ધોરાજી, તા.૩: ધોરાજી પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલ સફુરા નદીના ચેકડેમમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાનું જાણ માનવ સેવા યુવક મંડળને કરતા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ઘટના સ્થળે જઇને, જઇ જોતા ચેક ડેમમાં દુર લાશ તરતી હતી અને ધર્મેન્દ્ર બાબરીયા પાણીમાં દુરથી એક કલાકની જહેમત બાદ લાશને પાણીની બહાર કાઢીને ચેક કરતા મરણ જનાર અજાણ્યા પુરૂષના મોઢા પર માછલીઓ ખાઇ ગયેલ હતી.

લાશને માનવ સેવાની એમ્બ્યુલન્સમાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ અને મરણ નજાર અજાણ્યા પુરૂષની ભાળ મેળવવા અને મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સીક (PM) માટે રાજકોટ ખસેડાય છે અને તપાસ દરમ્યાન મરણ જનાર અજાણ્યો પુરૂષ મુસ્લીમ હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવ અંગે બીટ જમાદાર હિતેશભાઇ ગરેજા તપાસ ચલાવી રહેલ છે.

(10:02 am IST)