Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

'આપ'નો એક-એક કાર્યકર 'મિશન'થી આગળ વધે 'કમિશન'માં ન પડે તે ધ્યેયઃ ઈશુદાન ગઢવી

અધર્મ વિરૂદ્ધ ધર્મની લડાઈમાં દ્વારકાધીશ ભગવાન અમને શકિત આપે તેવી પ્રાર્થના કરી

દ્વારકા, તા. ૩ :. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને આવેલા 'આપ'ના અગ્રણી ઈશુદાન ગઢવીએ સરકાર સામે પ્રહારો કર્યા હતા.

ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે ભગવાનશ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરી છે કે પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ બાદ ગીતાજી પ્રગટ થયા હતા અને અધર્મ વિરૂદ્ધ ધર્મની લડાઈમાં અમને શકિત આપીને સફળતા અપાવે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ કે, 'આપ'નો એક એક કાર્યકર 'મિશન'થી ચાલે અને 'કમિશન'માં ન પડે તે મુખ્ય ધ્યેય છે. દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતમાં 'આપ' દ્વારા આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ કે, 'ટોપી' એ અમારી ઓળખ છે અને હું દરેક કાર્યક્રમોમાં ટોપી પહેરીને જ હાજર હોઉ છું.

(12:53 pm IST)