Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

દ્વારકામાં ગોપાલ ઇટાલીયા અને 'આપ'ના કાર્યકરો સામે ૮૪ બ્રહ્મસમાજના કાર્યકરો દ્વારા દેખાવો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ :  દ્વારકામાં આપના ઇશુદાન ગઢવી આવતા બ્રહ્મ સમાજ તથા સાધુ સમાજના કાર્યકરો દ્વારા ગોપાલના નિવેદનો પ્રત્યે ઉગ્ર રોષ વ્યકત કરાયો હતો તથા ગોપાલ દ્વારકા આવી દ્વારકાધીશના ચરણોમાં બ્રાહ્મણો સાધુ સમાજની માફી માંગે નહી તો આપ દ્વારકા જિલ્લામાં બ્રાહ્મણોનો સામનો કરવા તૈયાર રહે તેમ કહીને ગોપાલ ઇટાલીયાને પાર્ટીમાંથી કાઢો નહી તો ખરાબ પરિણામ ભોગવશો તેવુ઼ જણાવતા ઇશુદાને ગોપાલ વતી માફી માગીને બ્રાહ્મણો સાધુ સમાજને થયેલ દુઃખ અંગે માફી માંગીને ગોપાલભાઇને દ્વારકા લાવીને માફી માંગવાનો કાર્યક્રમ કરવા ખાત્રી આપી હતી.

દ્વારકા ૮૪ બ્રાહ્મણ જ્ઞાતિના વિવિધ આગેવાનો પુર્વ બ્રહ્રસમાજ પ્રમુખ તથા પાલિકા પ્રમુખ દ્વારકા આપ સામે દિવ્ય પ્રકાશ ઠાકર, ભાર્ગવાઇ ઠાકર, અનિલભાઇ  જોશી, વેદભવન, આશ્રમના જનકગુરૂજી, વત્સલભાઇ પુરોહિત, રાજુભાઇ જોશી (પત્રકાર) તથા સાધુ સમાજના આગેવાનો, બ્રહ્મસમાજના આગેવાનો વિવિધ જ્ઞાતિના બ્રાહ્મણો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

(12:56 pm IST)