Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત :આજે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૫ કેસો પૈકી ૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં નથી. 
આજરોજ ભાવનગર જીલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેળ છે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૫ કેસ પૈકી હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે

(9:00 pm IST)