Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોરબી : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તા નિયમિત મળતા ના હોય તો કચેરીનો સંપર્ક કરવો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને  નિયમિત હપ્તા નાં મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે
  ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGoI) અથવા  https:// pmkisan. gov. in/ મારફતે જાતે નોધણી કરી શકે છે. તેમજ અગાઉ કરેલ નોધણીની વિગતો ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્લાના તમામ તાલુકાના જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં  આવી છે.

(9:42 pm IST)