Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જામનગરનું એસ.ટી.બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં : દુર્ઘટના સર્જાઈ એ પહેલા સમારકામ કરવાની માંગ

અનેક વખત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં

જામનગર : જામનગર એસ.ટી. બસ. સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે. જેના લીધે મુસાફરી માટે આવતા નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના આ જર્જરિત એસ.,ટી. બસ સ્ટેન્ડ અંગે અનેક વખત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી.

તેમજ અહિયાં આવતા મુસાફરોની માંગ છે કે આ ખખડધજ થયેલા એસ.,ટી. સ્ટેન્ડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, જેના લીધે અહિયાં આવતા મુસાફરોને સારી સગવડ મળી શકે. આ એસ. ટી. બસ સ્ટેન્ડ પર દરરોજ અનેક મુસાફરોની અવર જવર રહે છે. તેથી આ લોકોની માંગણી છે કે કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે આ એસ.ટી. સ્ટેન્ડનું રિપેરિંગ કરવામાં આવે.

(11:17 pm IST)