Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સરદાર સાહેબની 182 મીટરની પ્રતિમા હોવી એક ગૌરવ લેવા જેવી બાબત : ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લીધી SOU ની મુલાકાત

નર્મદા ડેમનો પાયો મૂકનાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો આ સ્થળે એક ફોટો હોવો જોઇએ.

dir="ltr">
સુરેન્દ્રનગર : કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે સ્થળના વખાણ કર્યા હતા તેની સાથે ત્યાંના અધિકારીઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોઈ ગર્વનો અનુભવ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે સરદાર સાહેબની 182 મીટરની પ્રતિમા હોવી એક ગૌરવ લેવા જેવી બાબત છે. જેમણે દેશને અખંડિત રાખ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નર્મદા ડેમનો પાયો મૂકનાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો આ સ્થળે એક ફોટો હોવો જોઇએ.
(9:24 pm IST)