Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ચોટીલાના ''અકિલા''ના વરિષ્ઠ પત્રકાર કિર્તીભાઇ શાહનું અવસાન

ચોટીલાઃ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના ''અકિલા''ના વરિષ્ઠ પત્રકાર કિર્તીભાઇ ભીખાલાલ શાહનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

સ્વ. કિર્તીભાઇ શાહ ''અકિલા'' સાથે વર્ષોથી સંકળાયેલા હતા. અને પળે પળની ખબરો આપતા રહેતા હતા.

જુની પેઢીના અખબારી એજન્ટ સ્વ. ભીખાલાલ ચતુરદાસ શાહના પુત્ર ''અકિલા''ના વરિષ્ઠ પત્રકાર, ચોટીલા જૈન સમાજના અગ્રણી ચોટીલા દેરાવાસી જૈન સંઘના પ્રમુખ કિર્તીભાઇ ભીખાલાલ શાહ (ઉવ.૭૫) તે ચંદ્રકાંતભાઇ (માવાણી)ના મોટાભાઇ તથા સૌરાષ્ટ્રના યુવા પત્રકાર અને તસ્વીરકાર જીજ્ઞેશભાઇ શાહ -હેમલભાઇ શાહ (પત્રકાર -પ્રેસ ફોટોગ્રાફર-અકિલા) પાયલબેન શાહના પિતાશ્રી તથા ધ્રુવીબેન આશાબેન, ધૈર્ય અને ધાર્મીનાં દાદાજી અરિહંત શરણ પામેલ છે.સ્વ. કિર્તીભાઇ શાહની અંતિમયાત્રા કોરોના મહામારીના કારણે કુટુંબ પરિવાર પુરતી મર્યાદિત રાખવામાં આવી હતી.

જુની પેઢીના વરિષ્ઠ પત્રકાર સ્વ. કિર્તીભાઇ શાહનું અવસાન થતા ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ''અકિલા''ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, ''અકિલા'' વેબ એડિશનના  એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા અને ''અકિલા'' પરિવારે બે મિનીટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સાંજે ટેલીફોનીક બેસણુ

ચોટીલા દેરાવાસી જૈન સંઘના પ્રમુખ કિર્તીભાઇ ભિખાલાલ શાહ આજે તા. ૩ને ગુરૂવારે શ્રી અરિહંત શરણ પામેલ છે. કોરોનાના કારણે સ્વ. નું ટેલીફોનીક બેસણું આજરોજ સાંજના ૪:૦૦ થી ૬:૦૦ કલાકે રાખેલ છે. ચંદ્રકાંતભાઇ શાહ (માવાણી)- ૯૦૯૯૧ ૯૭૫૦૦  (ભાઇ), જીજ્ઞેશ કે. શાહ -૯૮૨૫૫ ૮૦૯૫૮ (પુત્ર), હેમલ કે. શાહ - ૯૨૬૫૩ ૧૪૩૦૦ (પુત્ર), રાકેશ સી. શાહ -૮૧૬૦૦ ૦૪૮૩૮ (ભત્રીજો)

(11:10 am IST)