Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ખાંભાના વકીયાં ગામે મગફળીના વાવેતરનું ધોવાણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૩: તાજેતરમાં સતત વરસાદ વરસતા પાકનું ધોવાણ થઈ જતા તેનું સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવા ખેડૂત વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.

ખાંભા તાલુકાના વકીયા ગામના ખેડૂત કનુભાઈ ગોપાલભાઈ કોઠીયાના ૧૦ વિધામાં મગફળીના વાવેતરમાં વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયેલ છે જેના કારણે ખેડૂતની વાવણિની મહેનત અને બિયારણ નું ધોવાણ થયેલ છે તો સરકાર શ્રી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતને વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:31 am IST)