Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાવનગરમાં ૪૮ કોરોના પોઝીટીવ કેસોઃ જ્યારે ૪૪ દર્દીઓ બન્યા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા ૨,૯૩૯ કેસો પૈકી ૫૮૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગર તા.૩:ભાવનગર જિલ્લામા વધુઙ્ગ ૪૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૯૩૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૦ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કમરેજ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, મહુવા ખાતે ૩, મહુવા તાલુકાના કાટીકડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર તાલુકાના સખવદર ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૨, તળાજા તાલુકાના મથાવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૨ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૮ એમ કુલ ૪૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૯૩૯ કેસ પૈકી હાલ ૫૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૩૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:39 am IST)