Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આટકોટના પ્રતાપપુરમાં શ્રી રૂષિ ગુરૂકુળમાં પ્રભાતભાઇ કોઠીવાળનું વ્‍યકિત વિશેષ તરીકે સન્‍માન

ઓબીસી મહાસભામાં ગુજરાતના પ્રમુખપદની વરણીને આવકાર

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૩ : શ્રી ભુદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત આટકોટના પ્રતાપપુર ગામે નવનિર્મિત શ્રી રૂષિ ગુરૂકુળ ખાતે ઓ.બી.સી. મહાસભાના નવનિયુક્‍ત ગુજરાતના પ્રમુખ પ્રભાતભાઇ ડી. કોઠીવાળનો વ્‍યકિત વિશેષ સન્‍માન સમારંભ યોજાયો હતો. જેમા઼ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

પ્રતાપપુર બ્રહ્મ ગુરૂકુળ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત રહેલા ભજનાનંદ આશ્રમના મહંત આત્‍માનંદ સરસ્‍વતીએ પ્રેરક ઉદ્‌બોધન કર્યુ હતું. ઋણ સ્‍વીકારના આ કાર્યક્રમમાં પ્રભાતભાઇ કોઠીવાળની અર્થતુલા પણ કરવામાં આવી હતી.

ગુજરાત નોટરી એસોસીએશનના પ્રતિનિધિ અને વકીલ તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટી ઉદયનભાઇ ત્રિવેદી દ્વારા તેમજ જુદા-જુદા ગામોથી પધારેલ બ્રહ્મ સમાજના આગેવાનો જેમાં ડો. ત્રિવેદી, એડવોકેટ દવે, જયેશભાઇ ઠાકર, ભુપતભાઇ ડેર, જીતુભાઇ ડેર, જામનગરથી પધારેલા મેરામણભાઇ ભાટુ, મારસીભાઇ રાજકોટથી પધારેલા ડો. પ્રકાશભાઇ મોઢા તેમજ ઘનશ્‍યામભાઇ સહિતનાઓએ પ્રભાતભાઇ કોઠીવાળને સન્‍માનિત કર્યા હતા.

સતાપર આશ્રમના ત્રિભોવનદાસ બાપુ, હિતેષભાઇ જોશી વડોદરા, મુકુંદભાઇ મહેતા, અશ્વિનભાઇ ત્રિવેદી, બાલમુકુંદ હવેલી ધરાઇના મુખ્‍યાજીએ આશિર્વચન આપ્‍યા હતા.

આ પ્રસંગે આટકોટ બ્રહ્મસમાજની કન્‍યા છાત્રાલયની બહેનો દ્વારા સ્‍વાગત ગીત તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઉદયનભાઇ ત્રિવેદી, આશિષભાઇ ભટ્ટ, હિતેષભાઇ પંડયા, ગૌતમભાઇ, હિરેનભાઇ, ઉમેશભાઇ અને સંસ્‍થાની બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.F

(10:48 am IST)