Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી માતાજીના સાનિધ્‍યમાં અષ્‍ટમીનો હવન

જૂનાગઢ :  ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીના સાનિધ્‍યમાં માતાજીના નવલા નોરતાનો આજે અષ્‍ટમીના દિવસે માતાજીની સન્‍મુખ યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્‍ચાર સાથે હવન યોજાયો હતો. અને યજ્ઞના દર્શન કરવા ભાવિકો અંબાજી મંદિર પહોંચ્‍યા હતા. મંદિર ટ્રસ્‍ટના મહંત શ્રી તનસુખગીરી બાપુ દ્વારા યજ્ઞનું આયોજન અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. (અહેવાલ : વિનુ જોશી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(1:46 pm IST)