Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જુનાગઢ નોબલ સ્‍કુલના ટીચર મૃગાબેન મહેતા નું ગરબા રમતા રમતા હાર્ડએટેક આવતા અવસાન : શાળા સંચાલક દ્વારા એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખી આપી શ્રધ્‍ધાંજલી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩ : જુનાગઢ નોબલ સ્‍કુલમાં કોમ્‍પ્‍યુટર ટીચર  તરીકે ફરજ બજાવતા મૃગાબેન મહેતાનું તા. ૧ ને શનીવારે ૬ ઠ્ઠા દિવસે નવરાત્રીમાં હસતા જુમતા અનંત ધર્માલય ખાતે રાસ-ગરબા રમતા હતા. દરમ્‍યાન તેઓને સીવીયર એટેક આવતા અવસાન થયું હતું.

છેલ્લા બાર વર્ષથી તેઓ નોબલ સ્‍કુલમાં કમ્‍પ્‍યુટર ટીચર તરીકે ફરજ બજાવતા અત્‍યંત મળતા વડા અને સરળ સ્‍વભાવના મૃગાબેન મહેતાની અચાનક વિદાયથી નોબલ પરિવાર શોકાતુર બન્‍યો છે.

શાળા સંચાલક કે.ડી. પંડયા સહ સંચાલક સિધ્‍ધાર્થ પંડયા તથા ખ્‍યાતિબેન પંડયા આચાર્યા રેખાબેન ઓડેદરા સહિત નોબલ સ્‍કુલના પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી તા. ૩ ને સોમવાર આજરોજ શાળાનું શૈક્ષણિક કાર્ય સદ્‌્‌ગતના માનમાં બંધ રાખી  ભાવાંજલી અર્પી હતી. 

(1:54 pm IST)