Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

અમરેલી જિલ્લાના ખાંભા અને ખાગેશ્રી , તાતણીયા ગીરમા વરસાદ : જામજોધપુરમા વરસાદના લીધે માર્કેટિંગ યાર્ડમાં ખેડુતોનો માલ પલળી ગયો

રાજકોટ તા.૩ : અમરેલી જિલ્લાના ખાંભા અને ખાગેશ્રી , અમરેલી જિલ્લાના તાતણીયા ગીર તથા  જામજોધપુર મા વરસાદ પડ્યો હતો.જામજોધપુર મા વરસાદ ના લીધે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો નો માલ પલળી ગયો હતો. જામજોધપુર તાલુકામા પણ વરસાદ પડ્યો હોવાનું અકિલા ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્યું છે.

 

(7:35 pm IST)