Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ધોરાજી જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ ની બહેનોએ માતાજીના ગરબાના માળા બનાવીને ધાર્મિક સ્થળોમાં બાંધ્યા

જામકંડોરણા ચાલું વર્ષ સરકારી ગાઈડ લાઈન મુજબ સાદગી પુર્ણ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી આ નવરાત્રી દરમિયાન જામકંડોરણામાં પુરી શ્રધ્ધા અને ભકિતથી માતાજીની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે જામકંડોરણા ખોડલધામ મહિલા સમીતીની બહેનો એ દશેરાના દિવશે માતાજી ના ગરબા નદીમાં પધરાવા ને બદલે જામકંડોરણા વિવિધ સોસાયટીઓમાં એકઠા કરી  જામકંડોરણા પાંજરાપોળ , માતાજીના મંદિરમાં જઈને આ ગરબા ના ચકલીના માળા બનાવી વૃક્ષો બાંધવા કાર્યક્રમ જામકંડોરણામાં યોજાયો હતો.

(11:33 am IST)