Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

લોધીકા સંઘના આગેવાનો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવાઇ

ખીરસરાઃ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા લોધીકા તાલુકાનાના રાજકીય આગેવાનો રાજકોટ લોધિકા સંઘના ચેરમેન તેમજ ખીરસરા સેવા સહકારી મંડળી ના પ્રમુખ અકિલા ના વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાના જન્મ દિવસ નીમિતે સિવિલ હોસ્પિટલના થેલેસેમીયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં રકતદાન કરવા તેમજ જન્મ દિવસ ની શુભેચ્છા આપવા માટે લોધીકા તાલુકાના વિવિધ ક્ષેત્રના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ જેમા લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી રા.લો.સંઘના ડિરેકટર મુકેશભાઈ કમાણી રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા (બકુલભાઈ) રાજકોટ જિલ્લા ભાજપ ભાજપ અગ્રણી મુકેશભાઈ તોગડિયા લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુરસિહ જાડેજા ભીખુભાઈ સાગઠીયા ખીરસરા વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ રકતદાન કરી નરેન્દ્રસિંહ જાડેજા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવેલ. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ બી.એમ. ગોસાઇ)

(11:41 am IST)