Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગિરનાર રોપ-વેની સફર માણતા સંતો-મહંતો-કલાકારો

જુનાગઢઃ ગરવા ગિરનાર અંબાજી મંદિર સુધી રોપવે પ્રોજેકટ શરૂ થતા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીએ બીજી વખત રોપવેમાં મુસાફરી કરી વિગતો જાણી હતી ઉપરોકત તસ્વીરમાં રોપવેમાં મુસાફરી કરી માં અંબાજીના દર્શન કરતા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના સંતો ધર્મકિશોરસ્વામી તેમજ ભજન સંતવાણીમાં જેઓનું ઉભરતુ નામ છે તેવા કલાકાર કિર્તિદાન ગઢવી તેમજ મુંબઇના ઉદ્યોગપતિ નરેશભાઇ ટોલીયા તેમજ ભાણજીભાઇ ગજ્જર સાથે પત્રકાર વિનુભાઇ જોષીએ માં અંબેના દર્શન કરી મહંત તનસુખગીરી બાપુના આશિર્વાદ લીધા હતા.(અહેવાલ-વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:01 pm IST)