Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઉંનાની વડવીયાળા સીમમાં ૬ સિંહોના ટોળાએ ૧૨ પશુઓનું મારણ કરીને મિજબાની માણી

(નવીન જોષી દ્વારા) ઉંના, તા. ૩ : વડવીયાળા ગામની સીમમાં રાત્રીના એક સાથે ૬ સિંહનું ટોળુ ઘુસી આવીને ગાય-વાછરડા સહિત ૧૨ પશુનો શિકાર કરતા ગામમાં ભયનુ વાતાવરણ છવાય ગયેલ હતું.
ઉંનાથી ૮ કિ.મી. દૂર વડવીયાળા સીમમાં રાત્રીના ૧ વાગ્યા બાદ ઝુડવડલી રોડ ઉંપરથી એક સાથે ૬ સિંહ અને સિંહણનું ટોળુ શિકારની શોધમાં ગામમાં આવી ચડેલ હતું અને શેરીમાં ઉંભેલ ગાય-વાછરડી અને વાછરડા કુલ ૧૨ પશુઓનો શિકાર કરી મોતને ઘાટ ઉંતારી નિરાંતે મિજબાની માણી હતી અને સવારે લોકોેએ આ દ્રશ્ય જોતા ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે સિંહનું ટોળુ ખેતર તરફ ચાલ્યુ ગયુ હતું. વન વિભાગને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી ગયેલ છે.

 

(12:04 pm IST)