Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામનગરમાં ત્રણ નરાધમોનો તરૂણી ઉપર વારંવાર બળાત્કાર

અક્રમ જુણેજા, સુનિલ રાઠોડ અને કિશને બે મહિલાઓ રજીયા ખીરા અને લતા પાટીલની મદદથી રૂપિયાની લાલચ આપી એક વર્ષ સુધી વિવિધ જગ્યાએ લઈ જઈ કુકર્મ આચર્યુઃ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયોઃ આરોપીઓ ફરારઃ પોલીસ તપાસનો ધમધમાટ

જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા પર એક વર્ષ દરમિયાન ત્રણ નરાધમોએ બે મહિલાની મદદથી વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદીયાણી), જામનગર, તા.૩: જામનગરમાં તરૂણી ઉપર નરાધમોએ સતત ૧ વર્ષ સુધી વિવિધ જગ્યાઓ ઉપર લઈ બે મહિલાઓની મદદથી જઈ વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અંગેની દાખલ થયેલ પોલીસ ફરિયાદમાં તરૂણીએ જણાવ્યું છે કે અક્રમ સિદ્દીક જુણેજા (રહે. સાધના કોલોની, જામનગર), સુનિલ ભના રાઠોડ (રહે.હર્ષદમીલની ચાલી, સાધના), કિશન (રહે. જામનગર) નામના આ નરાધમોએ રજીયા હુસેન ખીરા અને લતા પાટીલ (સાધના કોલોની, જામનગર)નામની બે મહિલા ઉપરાંત અજાણ્યા ત્રણથી ચાર શખ્સોએ સતત એક વર્ષ સુધી તરૂણીને લાલપુર બાયપાસ પાસે બાવળની ઝાડી અને રહેણાંક મકાનમાં લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.આ ઉપરાંત ઉકત નામના નરાધમોએ તરૂણીએ રૂપિયાની લાલચ આપી અન્યો પાસે પણ બળાત્કાર કરાવ્યો હતો. આ મામલે પંચકોષી- બી ડીવીઝનમાં ૩૭૬-૨, ૫૦૬-૨, ૧૧૪ અને પોકસોની કલમ ૪,૬,૧૭  મુજબ ગુનો નોંધી ફરિયાદ નોંધાઈ  છે. પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયાએ ગુનો નોંધયો છે. આ બનાવની તપાલ સર્કલ પી.આઈ. કે.જે.ભોંય કરી રહ્યા છે.

(3:30 pm IST)