Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

સાંજે ભાવનગરમાં પૂ.સચ્‍ચિદાનંદજીના હસ્‍તે પૂ. મોરારીબાપુની રામકથાનો પ્રારંભ

શ્રી ગોળીબાર હનુમાનજીનાં ચરણોમાં કથા અર્પણઃ જવાહર મેદાન ‘મારૂતિધામ' ખાતે ભાવિકો ઉમટશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩: ભાવનગર ભાવેણાની ભૂમિ પર શ્રી ગોળીબાર હનુમાનજીના ચરણોમાં આજે શનિવારથી શ્રી મોરારિબાપુના વ્‍યાસાસને રામકથા પ્રારંભ  થયો છે. શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજન દ્વારા  આવતીકાલ શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન શ્રી મોરારિબાપુના વ્‍યાસાસને રામકથાનો લાભ મળનાર છે.

ભાવનગર ભાવેણાની ભૂમિ પર શ્રી ગોળીબાર હનુમાનજીના ચરણોમાં યોજાનાર આ રામકથા પ્રારંભે શનિવાર બપોરે ૩-૩૦ કલાકે પદ્મ ભૂષણ સ્‍વામી શ્રી સચ્‍ચિદાનંદજીના હસ્‍તે દીપપ્રાગટય થશે તથા તેઓશ્રી આશીર્વચન પાઠવશે.

નિમિત્તમાત્ર નિમંત્રક રહેલા શ્રી જયંતભાઈ વનાણી બુધા પટેલ દ્વારા જણાવાયા મૂજબ ભાવનગરમાં જવાહર મેદાન ‘મારુતિ ધામ' ખાતે શનિવાર તા.૩ બપોરે ૩-૩૦ કલાકે પ્રારંભ થયા બાદ બીજા દિવસ રવિવાર તા.૪થી સવારે ૧૦થી બપોરે ૧:૩૦ કલાક દરમિયાન કથાશ્રવણ લાભ મળશે. કથા વિરામ રવિવાર તા.૧૧ના થશે. ભાવિક શ્રોતાઓને આ કથાનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે.

(10:54 am IST)