Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ખંભાળિયા, કલ્‍યાણપુરમાં ૩ના અપમળત્‍યુ

જામ ખંભાળિયા, તા.૩ :  ખંભાળિયાથી આશરે દસ કિલોમીટર દૂર વિરમદળ રોડ ઉપર આવેલા એક તળાવમાંથી ગઈકાલે બપોરે એક આધેડનો મળતદેહ સાંપળ્‍યો હતો, આ મળતદેહ કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા જીવાભાઈ કરસનભાઈ વાઘેલા નામના ૫? વર્ષના કોળી આધેડનો હોવાનું ખુલવા પામ્‍યું હતું.

આ બનાવવા અંગે મળતકના મોટાભાઈ કારૂભાઈ કરસનભાઈ વાઘેલાએ પોતાના માનસિક બીમારી થી પીડાતા નાનાભાઈ જીવાભાઈ વાઘેલા ગત તારીખ ૧ ના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર નીકળી ગયા બાદ આ તળાવમાં ઝંપલાવીને આત્‍મહત્‍યા કરી લીધાની જાણ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

અપમળત્‍યુના અન્‍ય એક બનાવમાં ખંભાળિયામાં આવેલા બસ સ્‍ટેશનના ગેટ નજીકથી આશરે ૬૦ થી ૬૫ વર્ષના એક અજાણ્‍યા ભિક્ષુક પુરુષનો મળતદેહ મળી આવ્‍યો હતો. જેનું મળત્‍યુ કોઈ બીમારી સબબ અથવા ઠંડીના કારણે થયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

કલ્‍યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા જયંતિગીરી રમણીકગીરી રામદતી નામના ૫૨ વર્ષના બાવાજી આધેડને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

(2:51 pm IST)