Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વિરપુર પાસે શાપર - વેરાવળના પ્રેમીપંખીડાનો આપઘાત

જયેશ ભાસ્‍કરને એક પુત્રની માતા ગીતાબેન રાઠોડ સાથે પ્રેમ થઇ જતા એક નહિ થઇ શકીએ તેમ માની કાગવડ પાસે ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કર્યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૨ : વિરપુરના કાગવડ પાસે શાપર - વેરાવળના પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કરતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ વિરપુર અને કાગવડ ગામ વચ્‍ચે ગઇકાલે ૧૧ વાગ્‍યાના અરસામાં પોરબંદરથી આવતી ટ્રેન નીચે કોઇ અજાણ્‍યા યુવક - યુવતીએ પડતુ મુકી આપઘાત કર્યાની જાણ રેલવે પોલીસને થતા પોલીસે બંને યુવક-યુવતીની ડેડબોડીને પીએમ માટે હોસ્‍પિટલે ખસેડી વિરપુર પોલીસને જાણ કરતા બંનેની ઓળખ માટે તપાસ કરતા આ પ્રેમી પંખીડા શાપર - વેરાવળ ગામના હોવાનું માલુમ પડેલ.

આપઘાત કરનાર જયેશ સોમાભાઇ ભાસ્‍કર (ઉ.૨૨) તેમજ યુવતી ગીતાબેન જગદીશભાઇ રાઠોડ (ઉ.૨૬) પરણીત હોય બંનેને પ્રેમસંબંધ થઇ જતા ગત ગુરૂવારના રોજ તેઓ ઘરેથી જતા રહેલ બાદ ગઇકાલે બંનેના મૃતદેહો ટ્રેનમાં કપાયેલ હાલતમાં મળી આવેલ. યુવતી પરિણીત હોય તેને ૪ વર્ષનો પુત્ર હોય બંનેને પ્રેમ થઇ જતા એક નહિ થવા દે માટે સાથે જીવવાના બદલે સાથે મરવાનું નક્કી કરી ગઇકાલે વિરપુર નજીક રેલવે ફાટક પાસે ટ્રેઇન નીચે ઝંપલાવી મોત મીઠું કરેલ. આ બનાવની તપાસ વિરપુર પો.સ્‍ટે.ના વિજયભાઇ ગોહેલ ચલાવી રહ્યા છે.

(1:03 pm IST)