Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વીરપુરમાં ગાયત્રી મુકિતધામના પ્રમુખ વઘાસીયાના પુત્ર, પુત્રીએ લગ્ન પહેલા મતદાન કર્યું

 વીરપુર (જલારામ) : જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં શ્રી ગાયત્રી મુકિતધામ અને ગાયત્રી સેવા ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસીયાના પુત્ર ચી.કશ્યપ અને પુત્રી ચી.કૃપાલીના લગ્નનો માંડવો ચૂંટણીને દિવસે જ રોપાયો હતો ત્યારે જેતપુર જામકંડોરણા બેઠકનું મતદાન કરવા માટે અનિલભાઈ વઘાસીયાના વરરાજા પુત્ર કશ્યપ અને પુત્રી કૃપાલી લગ્નવિધિ પહેલા પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવવા માટે કુમારશાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને લોકોને સંદેશો આપ્યો હતો કે લગ્નના માહોલ વચ્ચે પણ મતદાન કરવું જોઈએ અને લોકોએ પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવો જોઈએ. (તસ્વીરઃ કિશન મોરબીયા, વીરપુર)

(1:14 pm IST)