Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને સાધુ-સંતો

 વાંકાનેરઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ અમાસ નિમિત્તે તા.૨-૧-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય શણગાર અવં પ્રાકૃતિક સૌદર્યના દર્શન કરી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. એવં ધનુર્માસ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ જે હજાર ભકતોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઇન તથા રૂબરૂ લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ. મહંત શ્રી શંભૂ પ્રસાદ ટુંડિયા ભારતીય સાધુ સમાજના અગ્રગણ્ય પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય ૩૦૦ જેટલા સાધુ-સંતો તેમજ ભકતગણ સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પધાર્યા. કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) દ્વારા સન્માન કરાયુ હતું.

(10:05 am IST)