Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જીવ માત્ર પરમ આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છે છેઃ સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

કાલાવડ ખાતે સ્વાગત યાત્રા-પ્રવચનઃ નવા રણુજા ખાતે પધરામણી

રાજકોટ, તા. ૪: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. નિકાવાથી તા. ૨ના કાલાવડ પધાર્યા. કાલાવડ કૈલાશનગરમાં જ્યોત્સનાબા ભીમસિંહજી જાડેજાના નિવાસ સ્થાને પધાર્યા, ત્યાં શ્રી કાલાવડ સકલ જૈન સંઘ સ્વાગત અર્થે પધાર્યા બાદ ત્યાંથી સ્વાગત યાત્રાનો પ્રારંભ થયો અને દશાશ્રીમાળી જૈનવાડીએ પધાર્યા. બપોરે ૩ થી ૪ પ્રવચન રાખવામાં આવેલ.
પ્રવચન આપતા સદ્ગુરૂદેવે જણાવેલ કે જીવમાત્રને અંતે શું મેળવવાની ઈચ્છા છે ? પરમ આનંદ. જગતમાં જે તમારે જોઈતુ હોય તે બીજાને આપતા શીખો. બીજાને આપશો તો તમને મળશે.
બપોરે ૪ થી ૫ જપસાધના રાખવામાં આવેલ. જેમાં યતિશ્રી ગાંગજીઙ્ગષિના સ્મરણસહ ૪૫ સાધના કરાવવામાં આવેલ. શ્રી સંઘ પ્રમુખ પ્રફુલભાઈ મહેતાએ સ્વાગત કરેલ અને આગામી સમયમાં કાલાવડ શ્રી સંઘને ચાતુર્માસ પ્રદાન કરવા વિનંતી કરેલ. પ્રવચન બાદ ૬૦ રૂપિયાની અને જપ બાદ ૧૧૦ રૂપિયાની પ્રભાવના શ્રી સંઘ અને દાતા પરિવારો દ્વારા કરવામાં આવેલ તેમજ સુખડીની પ્રભાવના કરવામાં આવેલ.
કાલાવડથી વિહાર કરી તા. ૩ના નવા રણુજા પધારેલ ત્યાં નવા રણુજા શ્રી રામદેવ મહારાજ પ્રાર્થના મંદિરના ગાદીપતિ શ્રી સુરેન્દ્રબાપુ તથા સર્યુબેન, કમલેશભાઈ પ્રજાપતિ આદિ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
આ અવસરે કાલાવડ નિકાવા શ્રી સંઘના જે.બી. મહેતા, વિજય વોરા, સુલેમાનભાઈ આદિ પધારેલ. જેનુ કાલાવડ શ્રી સંઘે સ્વાગત કરેલ. તેમ પ્રશાંત પ્રફુલ્લભાઈ મહેતાની યાદીમાં જણાવેલ છે.

 

(10:10 am IST)