Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મોરબીમાં ઉતરાયણ પર્વ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયા ગ્રુપ તૈનાત રહેશે.

મોરબી :ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે પતંગ ચગાવતી વેળાએ પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેથી આવા ઘાયલ પક્ષીઓ માટે માં જીવદયા ગ્રુપની ટીમ તૈનાત રહેશે

માં જીવદયા ગ્રુપ દ્વારા નગરજનોને જણાવ્યું છે કે સુરક્ષિત ઉતરાયણ માનવીને માં જીવદયા સાથે પક્ષીના પ્રાણ બચાવવા સૌ જાગૃત બને તેમજ ઉતરાયણમાં ઘાયલ અને ફસાયેલ પક્ષીઓની સારવાર માટે ટીમ તૈનાત રહેશે જેથી ઘાયલ પક્ષીઓ વિષે હેલ્પ લાઈન નંબર ૮૭૮૦૧ ૧૨૦૧૪ અને ૯૬૨૪૯ ૫૮૯૧૮ પર સંપર્ક કરી માહિતી આપવા અનુરોધ કરાયો છે.

(11:56 am IST)