Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ટંકારાના ઘુનડાથી રસનાળ રોડના નાલા-પુલિયા મામલે સાંસદની રજૂઆત:

મોહનભાઈ કુંડારિયાએ માર્ગ-મકાન મંત્રીને પત્ર લખ્યો.

ટંકારા તાલુકાના ઘુનડાથી જોડિયા તાલુકાના રસનાળ ગ્રામ પંચાયતમાં આવતા નાલા-પુલિયાના કામ પ્લાન એસ્ટીમેન્ટ મુજબ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા સાંસદ મોહન કુંડારિયાએ માર્ગ મકાન મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે
મોહનભાઈ કુંડારિયાએ પત્ર લખી જણાવ્યું હ્ચે કે ટંકારા તાલુકાના ઘુનડા ગ્રામ પંચાયતના સરપંચ અને જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના રસનાળ ગ્રામ પંચાયતના સરપંચની રજૂઆત મુજબ ઘુનડાથી રસનાળ ગામને જોડતો પાકો એપ્રોચ રોડ બનાવવામાં આવે છે રસ્તામાં આવતા નાલા,પુલિયા બનાવવાનું કામ પ્લાન એસ્ટીમેન્ટમાં જે દર્શાવવામાં આવેલ છે તે મુજબ કામ કરવામાં આવતું નથી જેથી ચોમાસાની ઋતુમાં રસ્તા પરથી પસાર થતા ૧૦ ગામના લોકોને હાલાકી નો સામનો કરવો પડશે જેથી રસ્તા પર આવતા નાલા-પુલિયાનું કામ એસ્ટીમેન્ટ મુજબ થાય તેવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

(12:03 pm IST)