Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભાવનગરમાં કોરોનાથી એકનું મોત અને 22 પોઝિટિવ કેસ નોંધાયા :એક્ટિવ કેસની સંખ્યા 75એ પહોંચી

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર શહેરમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત નિપજ્યું છે. અને 22 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે . ભાવનગરના ઇંગોરાળા ગામની મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું છે
ભાવનગરમાં કોરોના સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે .આજે ભાવનગર શહેરમાં 18 અને ગ્રામ્ય માં 4 કેસ મળી કુલ 22  પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના 22 કેસ મળી ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 75  થવા પામી છે. કોરોના ના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. 
ભાવનગરમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી ૩૫ વર્ષની મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું છે .આ મહિલા નુ રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે .આ સાથે ભાવનગરમાં કોરોના થી મૃત્યુ આંક વધી સત્તાવાર રીતે 300 થયો છે. અત્યાર સુધી ભાવનગરમાં કુલ 21596 પોઝિટિવ કેસ નોંધાયા છે.

(9:23 pm IST)