Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સોમવારથી જામકંડોરણાના સાતોદડના કોબેશ્વર મહાદેવના મંદિરે ભાગવત કથાનું આયોજન

 

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૪ :.. તાલુકાના સાતોદડ ગામે શ્રી કોબેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. ૬ થી તા. ૧ર શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ કથા પ્રસંગે તા. ૬ ને સોમવારે બપોરે ૩ કલાકે પોથીયાત્રા તા. ૭ ને મંગળવારે સાંજે પ-૩૦ કલાકે શ્રી કપિલ જન્‍મ, તા. ૮ ને બુધવારે સાંજે પ.૩૦ કલાકે શ્રી નૃસિંહ જન્‍મ, તા. ૯ ને ગુરૂવારે સવારે ૧૧ કલાકે શ્રી વામન જન્‍મ તા. ૧૦ ને શુક્રવારે સાંજ પ કલાકે શ્રી કૃષ્‍ણ જન્‍મ (નંદભૈયા), તા. ૧૧ ને શનિવારે સાંજે પ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ, અને તા. ૧ર ને રવિવારે બપોરે ૧ર કલાકે કથા વિરામ થશે આ કથામાં ભાગવત કથાકાર શાષાીજી પૂ. મુકુંદજી મહારાજ (દેરડી કુંભાજી વાળા) વ્‍યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે કથા શ્રવણનો સમય સવારે ૧૦ થી ૧૧-૩૦ અને બપોરે ૩ થી પ-૩૦ સુધીનો રાખેલ છે કથા દરમ્‍યાન તા. ૮ ને બુધવારે રાત્રે ૮ કલાકે સેવંત્રા ગ્રુપનો કાનગોપીનો કાર્યક્રમ તેમજ તા. ૧૦ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે લોકડાયરો રાખેલ છે. દરરોજ બપોરે પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે આ કથા શ્રવણનો લાભ લેવા મહંતશ્રી ગોકુલગીરી મહારાજ તથા શ્રી કોબેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા સર્વેને પધારવા આમંત્રણ પાઠવેલ છે.

(1:45 pm IST)