Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

માલણકા ખોડિયારમાના મંદિરે પૂનમનો પાટોત્‍સવ

ભાવનગર, તા.૪: માલણકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર ) તથા શાહ ( જસપરા ) પરિવારના કુળદેવી શ્રી માલણકા ખોડિયાર મા ના મંદિરે મહા- સુદ પુનમનો પાટોત્‍સવ તા. ૫-૨ને રવિવારે થશે . મહા- મહીનાની નવરાત્રિ માતાજીના મંદિરે ઘામધૂમથી ઉજવવામાં આવે છે . મહા - મહીનાની નવરાત્રિ દરમ્‍યાન દરરોજ ચંડીપાઢ માતાજીને પારે કરવામા આવે છે અને પુનમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે . આ ઉત્‍સવમાં ગુજરાતભર માંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભકતો દર્શનાર્થે આવે છે. પ્રણાલિકા પ્રમાણે હોમાત્‍મક નવચંડી યજ્ઞનો પ્રારંભ રોનકભાઈ ઓઝાના આચાર્યપદે સવારે ૭:૩૦ કલાકે થશે. શ્રીફળ હોમવાનો સમય બપોરના ૧૨ કલાકનો છે ત્‍યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સૌ સેવકોને દર્શનનો લાભ લેવા સમગ્ર ટ્રસ્‍ટીગણ તરફથી અનુરોઘ કરાયો છે.

(11:50 am IST)