Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કાલે વંથલીમાં જુનાગઢની ત્રિમૂર્તિ હોસ્‍પિટલના સહયોગથી સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ સમાજ દ્વારા નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ

ડો. ડી.પી.ચિખલીયા સહિત ૧૫થી વધુ નામાંકિત તબીબો સેવા આપશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૪ : જૂનાગઢ ત્રિમુર્તિ હોસ્‍પિટલના સહયોગથી સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ જમાત વંથલી સોરઠ દ્વારા તા. ૫ ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે ૯ થી ૧ સખર ભવન મેઇન બજાર વંથલી ખાતે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાનાર છે.

જેમાં ત્રિમૂર્તિ હોસ્‍પિટલના ડો. ડી.પી.ચિખલીયા, ડો. અમિત ભુવા, ડો. પ્રતિક ટાંક, ડો. શૈલેષ જાદવ, ડો. રમ્‍યતા દયાતર, ડો. તન્‍વી કાચા તેમજ વંથલીના ડો. સિકંદર પરમાર, ડો. અભિષેક મારૂ, ડો. ચિરાગ પીઠીયા, ડો. કિશોર બગડા, ડો. તુષાર જેઠવા સહિત ૧૫થી વધુ તબીબો પોતાની સેવા આપશે.

આ કેમ્‍પનો લાભ લેવા ઇચ્‍છતા દર્દીઓએ વધુ વિગત માટે ઇરફાનભાઇ સુહરાવર્દી મો. ૯૮૯૮૧ ૭૪૭૯૧ ઉપર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.(૨૧.૧૩)

(1:35 pm IST)