Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી ઝૂલતાપુલ કેસમાં સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર

બન્ને પક્ષની દલીલો બાદ નામદાર મોરબી અદાલતે આરોપીઓની જામીન અરજી ફગાવી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તા.૪ :મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસમાં રહેલા સાત આરોપીઓ દ્વારા ચાર્જશીટ રજૂ થયા બાદ જામીન અરજી કરતા આજે મોરબી કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલો બાદ તમામ 7 આરોપીઓની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.
 
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના બે મેનેજર, ટિકિટબારી ક્લાર્ક, સિક્યુરિટી સહિતના નવ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા બાદ આ ચકચારી કેસમાં હાઇકોર્ટ સુધી જામીન માટે કાનૂની લડત બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ રજૂ થવાને પગલે આજે નવ પૈકી સાત આરોપીમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણ દ્વારા પોતાના વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવતા આજે મોરબી કોર્ટમાં બન્ને પક્ષને સભાળવવામાં આવ્યા હતા અને બન્ને પક્ષના વકીલોએ દલીલો બાદ નામદાર અદાલતે તમામ સાત આરોપીઓની જામીન અરજી ના મંજુર કરી હતી.

 

(1:39 pm IST)