Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

એક જ દિવસમાં ૨૫૫ દર્દી ડિસ્ચાર્જ થયા

જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં નવા ૨૮૦ કેસઃ જૂનાગઢના ૪ સહિત ૯ના મોત

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૪ : જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં નવા ૨૮૦ કેસ નોંધાવાની સાથે જૂનાગઢના ચાર સહિત ૯ કોરોના દર્દીન મોત થયા હતા.

જિલ્લામાં ગઇકાલે નવા આવેલા ૨૮૦ કેસમાં જૂનાગઢ સીટીના ૧૪૮ કેસ, જૂનાગઢ ગ્રામ્યના ૧૧, કેશોદ-૧૪, ભેંસાણ-૭, માળીયા-૨૧, માણાવદર-૧૪, મેંદરડા-૮, માંગરોળ-૩૧, વંથલી ૧૦ અને વિસાવદરના ૧૬ કેસનો સમાવેશ થાય છે.

૨૪ કલાકમાં જિલ્લામાં ૯ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. જેમાં જૂનાગઢ શહેરના વધુ ૪ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમજ જૂનાગઢ રૂરલ, માણાવદર, મેંદરડા, વંથલી અને વિસાવદરના ૧-૧ દર્દીને કોરોના ભરખી ગયો હતો.

બીજી તરફ ગઇકાલે જિલ્લાના ૨૫૫ કોવીડ દર્દીઓએ કોરોના પર વિજય મેળવ્યો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢ સીટીના ૧૧૫ પેશન્ટ સ્વસ્થ થયા હતા.  દરમિયાન જૂનાગઢ કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ૨,૬૫,૫૬૧ લોકોનું રસીકરણ થયું છે.

(10:55 am IST)