Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ટેસ્ટ ઘટતા કચ્છમાં દર્દીઓ ઘટયા : નવા ૧૮૭ કેસ સાથે સારવાર હેઠળ ૨૬૫૬ દર્દીઓ

લાશની અંતિમવિધિ માટે લાઇનો વચ્ચે તંત્રના ચોપડે માત્ર ૩ મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે સરકારી ચોપડે કોરોના અંકુશમાં આવી રહ્યો હોય એવું આંકડાકીય ચિત્ર છે. અત્યારે નવા ૧૮૭ કેસ નોંધાયા છે. સામે સરકારી ચોપડે જ ૨૬૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે એ દર્શાવે છે કે છેલ્લા એક મહિનામાં સારવાર હેઠળના દર્દીઓનો આંકડો વધીને લગભગ ચાર ગણો થઈ ગયો છે.

એ જ રીતે સરકારી ચોપડે ૩ મોત દર્શાવાયા છે, પણ ભુજ ઉપરાંત સુખપર ગામે લાશના અંતિમ સંસ્કાર માટે સતત લાઈનો રહે છે.

આમ, સરકારી ચોપડે કોરોના અંકુશમાં હોય એવું ચિત્ર છે. દર્દીઓના ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે.

(11:01 am IST)