Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબીમાં ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા નિશુલ્ક ઓક્સીજન બોટલ રીફીલીંગની સેવા

મોરબી : કોરોના મહામારીના સમયમાં દર્દીઓને ઓક્સીજનની જરૂરત રહેતી હોય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દર્દીઓને નિશુલ્ક ઓક્સીજન બોટલ રીફીલીંગનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે નિશુલ્ક ઓક્સીજન બોટલ (અંદાજે 2 કિલો સુધીની) રીફીલીંગ કરી આપવામાં આવશે જે માટે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી બોટલ રીફીલીંગ માટે દર્દીનું આધારકાર્ડ અને દર્દીનો રીપોર્ટ સાથે લાવવાનો રહેશે જે સેવા ૨૪ કલાક કાર્યરત છે

(9:23 pm IST)