Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

શાંતિનગરમાં બકાલી વસંતભાઇએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

શ્વાસની બિમારીથી કંટાળીને પગલું: દેવીપૂજક પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: યુનિવર્સિટી રોડ પર બી. ટી. સવાણી હોસ્‍પિટલ પાછળ શાંતિનગર મફતીયાપરામાં છાપરામાં રહેતાં વસંતભાઇ બટુકભાઇ મકવાણા (દેવીપૂજક) (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે લાકડાની આડીમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

વસંતભાઇ બે બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. ગત રાતે તેમણે પગલુ ભરી લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વસંતભાઇ બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. શ્વાસની બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:59 am IST)