Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વેરાવળના ભીડીયા બંદરે કાલે અને શુક્રવારે ૨૪માં સમૂહલગ્નોત્‍સવ

કાલે ૯ અને શુક્રવારે ૧૨ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ, તા. ૪: વેરાવળના ભીડીયા બંદર ખાતે શ્રી સંયુક્‍ત કોળી સમાજ ભીડીયા પ્‍લોટ ખાતે ચોવીસમો સમૂહ લગ્ન બે રાઉન્‍ડમા આયોજન કરવામાં આવેલ છે જેમા પ્રથમ રાઉન્‍ડ તા.૫ મંગળવાર જેમાં નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે જયારે બીજો રાઉન્‍ડ તા. ૮ને શુક્રવારના બાર નવદંપતિ ઓ પ્રભુતામાં પગલાં પાડશે આમ બંને રાઉન્‍ડમા એકવીશ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે

 આ સમુહલગ્નમા આશિર્વચન આપવા અમદાવાદ ના ૧૦૦૮ શ્રી ઋષિ ભારતિજી મહારાજ, સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, મંત્રી દેવાભાઈ માલમ, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍ય વિમલભાઈ ચુડાસમા, ગુજરાત માંધાતા પ્રમુખ રાજુભાઇ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહિ નવદંપતી ઓને આશિર્વચન આપશે.

આ સમુહલગ્નને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના પટેલ સંયુક્‍ત કોળી સમાજ ભીડીયા રમેશભાઈ દેવજીભાઈ બારૈયા,ઉપ પટેલ જયંતિભાઈ વરજાગભાઈ સોલંકી,બોટ એસોસિયેશનના પ્રમુખ લક્ષ્મીકાંત ભીખાભાઈ સોલંકી,ભીડભંજન મત્‍સ્‍યો. મંડળીના પ્રમુખ નથુભાઈ લક્ષ્મણભાઇ વૈશ્‍યની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો અને યુવાનો સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:36 pm IST)